આ જનમની પેલે પાર - ૩૨

(31)
  • 3.4k
  • 2
  • 1.8k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૨ દિયાનનું આ વર્તન તેના માતા-પિતા અને સાસુ-સસરા માટે આંચકો આપનારું હતું. કોઇની સાથે કંઇ વાત કર્યા વગર તે અંદર જતો રહ્યો હતો. એ ઉપરાંત કોઇ સવાલ ન પૂછવાની તાકીદ કરીને ગયો હતો. બધાંને દિયાન પાછો ફર્યો એ વાતનો આનંદ હતો. પણ તે એકલો આવ્યો એનું દુ:ખ હતું. હેવાલી તેની સાથે કેમ આવી નથી એ સમજાતું હતું. બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો. તે કોઇના સવાલોના જવાબ આપવા માગતો ન હતો કે પછી આપવા માટે સક્ષમ ન હતો. તેની મનોદશાને જોતાં બધાંએ આંખોથી જ પરસ્પર વાત કરી લીધી.મનોહરભાઇ ઊભા થતાં બોલ્યા:'દિનકરભાઇ, કદાચ હેવાલી પણ