અતીતરાગ - 1

(20)
  • 3.9k
  • 1
  • 2k

‘અતીતરાગ’ - ૧ પ્રથમ કડી શબ્દાંજલિ રૂપે અર્પિત કરું, આપણા સૌના હ્ર્દસ્ય્સ્થ પાર્શ્વગાયક દિવંગત ભૂપિંદર સિંગને..ભૂપિંદરસિંગે આપેલા એક રેડીયો ઈન્ટરવ્યુમાં તેમના અતિ અફસોસ જનક નિર્ણય વિષે બેહદ ખેદ વ્યક્ત કરતાં જે વ્યથાકથા કહી હતી, તેના અમુક અંશો અહીં ટાંકી રહ્યો છું.ભૂપિંદરસિંગની આ વ્યથાકથાનો આરંભ થયો હતો ૧૯૬૦ પહેલાં..દિલ્હીમાં તેમની પ્રથમ મુલાકાત થઇ હતી, મશહુર સંગીતકાર મદનમોહન સાથે, અને એ પહેલી મુલાકાતમાં મદનમોહન તરફથી ભૂપિંદરસિંગને ઉમળકા ભર્યું આમંત્રણ મળ્યું મુંબઈ આવવાનું.ત્યારબાદ ભૂપિંદરસિંગે વાટ પકડી મુંબઈની. એ સમયગાળા દરમિયાન મદનમોહન સંગીત નિર્માણ કરી રહ્યાં હતાં, મહાન ફિલ્મકાર ચેતન આનંદની ફિલ્મ ‘હકીકત’ માટે. તેના સંદર્ભે ભૂપિંદર સિંગની મુલાકાત થઇ ચેતન આનંદ સાથે.ચેતન આનંદને