માયાજાળ

(12)
  • 2.4k
  • 2
  • 942

અલ્પકાલિક મોહ કે મંત્રમુગ્ધ માયાજાળ?!?લગ્નના દસ વર્ષ અને બે સુંદર બાળકો પછી, જો તમારા ઘરનું માણસ બીજી સ્ત્રીમાં રુચિ બતાવે, તો તમે એને શું કહેશો? હું પ્રાર્થના કરું છું કે તે અસ્થાયી મોહ હોય, કોઈ કાયમી નિરાશાજનક જંજાળ નહીં.અમારું સગપણ માતા-પિતાએ ગોઠવ્યું હતું અને એમના આશીર્વાદ સાથે ઋષભ અને મારા એરેન્જ્ડ મેરેજ થયા હતા. હું એક મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતી હતી, પરંતુ જોડિયા બાળકો થયા પછી, મેં ગૃહિણી બનવાનું પસંદ કર્યું અને ખુશી ખુશી મારો બધો સમય બાળકો અને પરિવાર માટે સમર્પિત કરી નાખ્યો. અત્યાર સુધીનું જીવન અત્યંત ઉમદા રહ્યું. અમારા દાંપત્ય જીવનના દાયકામાં ઋષભ એક અદ્ભુત પતિ અને