ભૂલની કબૂલાત

  • 2.7k
  • 3
  • 1.1k

ગુજરાતના મહિસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકાનું એક નાનું સરખું ગામ. નાનકડા ગામમાં નાની પણ અતિસુંદર શાળા હતી. રાજુભાઈ આ શાળાના આચાર્ય હતા. રાજુભાઈને બાળકો બહુ ગમે. બાળકોને પણ રાજુભાઈ બધા ને ખુબ ગમતાં. અને બાળકો તેમને પ્રેમથી રાજુ સર કહીને બોલાવતા હતા. રાજુભાઈની બાળકોને ભણાવવાની રીત બહુ સરસ હતી. તેઓ એવી બાળકોને રીતે ચતુરાઇ પૂર્વક ભણાવતા કે બાળકોને જેમના રાજુસર ભણાવે એટલે ઝટ યાદ રહી જય એક વખત રાજુભાઈને વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓની પરીક્ષા નિરીક્ષકની ગેરહાજરીમાં લેવામાં આવે તો ? શું વિદ્યાર્થીઓ ચોરી કર્યા વગર, જાતે જ પ્રશ્નપત્રોના જવાબ લખશે ખરા ? શું નિરીક્ષકની ગેરહાજરીથી તેમને ચોરી કરવાની લાલચ થશે