ચમત્કારનો પ્રવાહ

  • 2.8k
  • 1
  • 1k

◆ ચમત્કારનો પ્રવાહ ◆પ્રાચીન ગ્રંથો મુજબ માતા નાયોએ પૃથ્વીની રચના કરી હતી. ત્યાર બાદ પવનની, જળની, ભૂમિની, વનસ્પતિઓ અને વૃક્ષોની, અસંખ્ય જીવજંતુઓની, પ્રાણીઓની અને તમામ પ્રાણીઓમાં શેષ્ઠ મનુષ્યની રચના પણ માતા નાયોએ જ કરી હોવાનું માનવામાં આવે છે. પોતાનું કાર્યપૂર્ણ થતાં માતા નાયોએ નદીનું રૂપ લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારના મહાન સમ્રાટ રાજા ટ્રીઓનીફોએ માતા નાયોને પોતાના રાજ્યમાંથી વહેવાની પ્રાર્થના કરી હતી. આ સાથે રાજા ટ્રીઓનીફોએ માતા નાયોને એ વચન પણ આપ્યું કે, તેઓ અને તેમના વંશજો નાયો નદીની સુરક્ષા કરશે અને તેમની પ્રજા પણ રાજાના કાર્યોને અનુસરશે. આ વચન ઉપર માતા નાયોએ રાજા ટ્રીઓનીફોના રાજ્યથી વહેવાનું પસંદ કર્યું હતું.