દશાવતાર - પ્રકરણ 26

(150)
  • 3.5k
  • 3
  • 1.9k

          “કશું નહીં.” તેના પિતાએ કહ્યું, “બસ આ મુસાફરીની અસર અને દીવાલની આ તરફનું બદલાયેલું વાતાવરણ...”           “પાણીથી એ બધુ ઠીક થઈ જશે?” તેને નવાઈ લાગી.           “હા.”           “પાણી કઈ રીતે બધુ ઠીક કરી શકે?” તેને સમજાતું નહોતું.           “આ પાણીમાં કંઈક છે.”           “શું?”           “ખબર નહીં શું પણ એ લોકો તેને દવા કે ઔષધિ કહે છે.”           દવા શું છે એ વિરાટે જ્ઞાનના પુસ્તકોમાં વાંચ્યું