દેશ સેવા અને દેશભક્તિ, સરહદ પર ગયા વિના પણ શકય છે.

  • 2.4k
  • 1
  • 768

શું ખરેખર દેશ સેવા કરવા અને પોતાની દેશભક્તિ  સાબિત કરવા સરહદ પર જવાની જરૂર છે? ના એવું જરૂરી નથી દેશસેવા કરવા તેમજ પોતાની દેશભક્તિ સાબિત કરવા સરહદ પર જવાની જરૂર નથી. આજે આપણા દેશની દરેક વ્યક્તિ પોતાને એક સાચો દેશભક્ત ગણે છે. અને કયારેક તે સાચો દેશભક્ત છે તેમ સાબિત કરવાનો પણ પ્રયત્ન કરે છે, ક્યાં  ખબર છે?  ઘરે બેઠા બેઠા સગાં કે  મિત્રો સાથેની ચર્ચામાં પાનનાં ગલ્લે, ઓફિસ વગેરે જગ્યાએ આજનો આપણો આ સામાન્ય નાગરિક  ઘરમાં કે ઓફિસમાં બેઠા બેઠા પણ દેશના અર્થશાસ્ત્રીઓને, સૈન્યના વડાને, વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશને મનો મન સલાહ આપતો હોય છે કે આમ કરવું જોઈએ