ત્રિકોણીય પ્રેમ - 8

  • 2.3k
  • 2
  • 1.3k

ભાગ….૮ (રામ અને માયા પોતાની આપવીતી આત્માનંદ મહારાજને કહે છે અને પોતાને સંન્યાસ આપવાનું પણ કહે છે. પણ ચંપાનંદને તેમની સાથે વાત કરતાં શક થાય છે અને આ બાબતે કેતાનંદસાથે ઉગ્ર ચર્ચા થાય છે. હવે આગળ....) "બાપજીએ કહેવડાવ્યું છે કે તેમને આજથી પંદર દિવસ મૌનવ્રત લઈને ધ્યાનમાં બેસવાનું હોવાથી તમારી દીક્ષા પંદર દિવસ બાદ થશે. ત્યાં સુધી આપ અહીં રહીને સંન્યસ્ત વિશે જાણો અને આશ્રમનો આનંદ લો. ૐ શાંતિ..." આ સાંભળીને રામઅને માયા એકબીજાની સામે જોઈ રહ્યા. તેમની રૂમમાં જઈને તેમને અશ્વિન સિંહને ફોન કરીને કહ્યું કે, "સર આ લોકોને અમારા પર શક પડ્યો લાગે છે." "પણ કેવી રીતે?" "સર