હિતોપદેશની વાર્તાઓ - 42

  • 4.9k
  • 1.2k

42. એક તળાવને કિનારે મોટું વડનું ઝાડ હતું. તેની પર ઘણા બગલાઓ રહેતા હતા. તળાવમાંથી એમનો ખોરાક માછલીઓ ભરપૂર પ્રમાણમાં મળી રહેતી. આથી બગલાઓ મોજમાં રહેતા પણ અચાનક એક દિવસ એક આફત આવી પડી. કોણ જાણે ક્યાંથી, એક મોટો સાપ ત્યાં વડના ઝાડ નીચે દરમાં રહેવા આવ્યો. આ સાપ ઝાડ પર બગલાઓના ઈંડા અને નાના બચ્ચાં ખાઈ જતો. રોજ કોઈ બગલાનાં બચ્ચાં ગુમ થતાં આથી બગલાઓએ આ ઝાડ છોડી બીજે રહેવાનું વિચાર્યું પણ એક બગલો કહે આપણે આટલું સરસ સ્થળ છોડી બીજે રહેવા જોઈએ એના કરતાં સાપને મારી નાખીએ તો? પણ એને કેવી રીતે મારી શકાય ? એ તો