મેલડી માં નું પ્રાગટય - 2

  • 3.7k
  • 1
  • 1.8k

જ્યારે નવ દુર્ગા માં પાર્વતી પાસે ગયા અને કીધું હે માં જગદંબા હે માં ભવાની દુઃખ દુર કરનારી માં પાર્વતી અમારી વ્હારે આવો , ત્યારે માં પાર્વતી પોતાની સાધના માંથી બહાર નીકળી આંખો ખોલે છે , અને સામે જોવે છે નવ દુર્ગા એમની સામે પોતાનું દુઃખ કહી રહ્યા હતા કે એક નામ વગર ની નનામી બાળકી જેને અમારું નેવજ જમી લીધું છે અને અમને યુદ્ધ માં પરાસ્ત કરીને ગાયબ થઈ ગઈ છે , આ સાભળી માં પાર્વતી ગુસ્સે ભરાયા અને કીધું દેવીઓ ચિંતા ના કરો તેની સામે હું યુદ્ધ કરીશ આજે એ નનામી બાળકી ને તમારી સમક્ષ હાજર કરીશ એમ