સફર - 8

  • 960
  • 470

આ બાજું અમોઘા જતી રહી અને સાકરમાંની તબિયત વધારે બગડતી ગઈ. હવે હ્રદય?અને ફેફસાની આજુબાજુ પાણી ભરાવા લાગ્યું. એમની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યાં.એમની સાથે સાથે અશ્ર્વિનીબહેનને અમોઘાની પણ એટલી જ ચિંતા.એટલે તબિયત થોડી ખરાબ છે..એટલું જ જણાવતાં અને અમોઘાનાં વિડીયોકોલ કોઈ ને કોઈ બહાને ટાળતાં. છેલ્લે સાકરમાંનાં હ્દયે જવાબ દઈ દીધો. એમણે અશ્ર્વિનીબહેનને અમોઘાનાં મનની વાત અને એમની છેલ્લી ઈચ્છા કે અમોઘા અને સાનિધ્ય બંને મળીને એનાં અસ્થિ વિસર્જન કરે.".ક્યાં ઈ મે સનીને કંઈ દીધુ છે."ઘણાં દિવસથી સાનિધ્યનો કોલ નહોતો અને અમોઘાનો ચહેરો વાંચતા તો એમને આવડતું જ .એટલે જતાં જતાં પણ બંને ભેગા થાય તેવી ગોઠવણ એમણે કરી.અમોઘા