સંબંધો

  • 784
  • 1
  • 236

"અંતે, ફક્ત ત્રણ બાબતો મહત્વની હોય છે: તમે કેટલો પ્રેમ કર્યો, તમે કેટલી નમ્રતાથી જીવ્યા, અને જે વસ્તુઓ તમારા માટે નહોતી, એને તમે કેટલી સરળતાથી છોડી શક્યા."-બુદ્ધસંબંધો: આપણી શાંતિ અને સુખ માટે આવશ્યક આધારસ્તંભ. આપણો જન્મ થયો ત્યારથી લઈને મૃત્યુશય્યા સુધી પહોંચે ત્યાં સુધી, દરેક પગલે કોઈને કોઈ આપણી સાથે જોડાય છે. કેટલાક અંત સુધી આપણી સાથે રહે અને ઘણા કોઈ ન કોઈ કારણોસર, વચ્ચેથી આપણો સાથ છોડી દે.જીવનના દરેક તબક્કે આપણે જુદા જુદા લોકો સાથે જોડાયેલા રહીએ છીએ. સૌ પ્રથમ, કુટુંબ: માતાપિતા, ભાઈ-બહેન અને દૂરના અથવા નજીકના સગાસંબંધીઓ. આપણું માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સુખાકારી, આપણા સંબંધોની ગુણવત્તામાં સમાવિષ્ટ છે,