સનાતન રહસ્યમંજરી : ભગવાન વિષ્ણુનું બ્રહ્માંડ અને દશાવતારનું મનોવિજ્ઞાન શું આપણા અવતારોમાં માનવ ઉત્ક્રાંતિનો નકશો છુપાયેલો છે? યુવા સંશોધક વિનય વારાણસી સાથેના મતે જાણો વિષ્ણુના ૭ શક્તિશાળી અવતારોના ગૂઢ અર્થ ભારતવર્ષની ધરતી પર સનાતન ધર્મ માત્ર પરંપરા નથી, પણ તે અસ્તિત્વના મૂળ સુધી પહોંચવાનું એક ગહન વિજ્ઞાન છે. આ વિજ્ઞાનમાં ભગવાન વિષ્ણુને પાલનહાર કહેવામાં આવ્યા છે. વિષ્ણુ એટલે એ શક્તિ જે સમગ્ર બ્રહ્માંડને એકસૂત્રે બાંધી રાખે છે. તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર સંસ્કૃતિના ગાઢ અભ્યાસુ વિનય વારાણસીએ વિષ્ણુના બ્રહ્માંડ અને તેમના અવતારો વિશે જે અદભૂત વાતો કરી છે, તે સાંભળીને આધુનિક પેઢીને પોતાની સંસ્કૃતિ પ્રત્યે એક નવો