આજના જમાનામાં લોકો હજારો અને કરોડો રૂપિયા કમાઈ લે છે, ધારે એવી મોટી ડીગ્રી, પદવી, ભૌતિક સુખ સગવડો આ તમામ વસ્તુઓ મેળવવામાં સફળ થાય છે. પરંતુ, તેમ છતાં માનસિક રીતે સુખી હોતા નથી. પોતાની જાત ઉપર આત્મસંતોષ, કૃતજ્ઞતા, આત્મવિશ્વાસ, સ્પષ્ટ વિચારધારા, માનસિક રીતે નિડરતા આ તમામ બાબતોનો અભાવ જોવા મળે છે. એનું કારણ છે આજની ભાગદોડ વાળી અને ડિજિટલ ઝડપી જિંદગીમાં નાની નાની સૂક્ષ્મ પળો માણવાનું ભૂલી ગયા છીએ, પોતાની જાત પ્રત્યે કુતજ્ઞતા ભાવ અને આત્મસંતોષ માટે કરવાના નાના નાના કાર્યો, પ્રસંગો, ઘટનાઓની જીવનમાંથી બાદબાકી કરી દીધી છે. આજે શરૂ કરવા જઈ