સમર્પણ.

(162)
  • 37.1k
  • 8
  • 17.2k

સમર્પણ, ત્યાગ અને પ્રેમ....આ બધા શબ્દો, ફક્ત શબ્દો જ નથી. દરેકના દિલ સાથે જોડાયેલી ભાવનાઓ છે. જેનું દરેકના જીવનમાં આગવું મહત્તવ છે. આ ત્રણેય વસ્તુ આપવામાં જેટલી અઘરી છે તેટલી જ લેવામાં સરળ છે.અને જે આમાંનું કંઈપણ સ્વાર્થ વગર આપી જાણે છે તે ખરેખર મહાન છે તેમજ વંદનીય છે. અહીં આ વાર્તામાં આમાંની એક, સમર્પણની ભાવનાનું મેં નિરૂપણ કર્યું છે. આપ સૌ આ વાર્તા ને વાંચીને તેમાં જો કોઈ ક્ષતિ કે ખામી રહી ગઈ હોય તો મારું ધ્યાન અવશ્ય દોરશો તેવી વિનંતિ. જેથી તે ક્ષતિને હું સુધારી શકું, તેમજ તેને રેટિંગ આપવાનું ભૂલતા નહિ.

Full Novel

1

સમર્પણ - 1

" સમર્પણ "પ્રકરણ-1 સમર્પણ, ત્યાગ અને પ્રેમ....આ બધા શબ્દો, ફક્ત શબ્દો જ નથી. દરેકના દિલ સાથે જોડાયેલી ભાવનાઓ છે. દરેકના જીવનમાં આગવું મહત્તવ છે. આ ત્રણેય વસ્તુ આપવામાં જેટલી અઘરી છે તેટલી જ લેવામાં સરળ છે.અને જે આમાંનું કંઈપણ સ્વાર્થ વગર આપી જાણે છે તે ખરેખર મહાન છે તેમજ વંદનીય છે. અહીં આ વાર્તામાં આમાંની એક, સમર્પણની ભાવનાનું મેં નિરૂપણ કર્યું છે. આપ સૌ આ વાર્તા ને વાંચીને તેમાં જો કોઈ ક્ષતિ કે ખામી રહી ગઈ હોય તો મારું ધ્યાન અવશ્ય દોરશો તેવી વિનંતિ. જેથી તે ક્ષતિને હું સુધારી શકું, તેમજ તેને રેટિંગ આપવાનું ભૂલતા નહિ. જીવરામ શેઠ પૈસેટકે ...Read More

2

સમર્પણ - 2

આપણે ગયા પ્રકરણમાં જોયું કે ઈલાબેન તેમજ મોટી વહુ નિલમ નાની વહુ નીમાને ખૂબ સમજાવ્યા કરતાં પણ તેના સ્વભાવમાં ફરક પડતો નહિ હવે આગળ...... નાનો દિકરો અનિષ ભણીને આવી ગયો હતો એટલે તેના માટે ગામે ગામથી માંગા આવવાના શરૂ થઇ ગયા હતા. પણ તેને પોતાના જ ગામમાં રહેતી, પોતાની સાથે જ રમીને મોટી થએલી અને પોતાની સાથે જ, ભણતી નમ્રતા ખૂબજ ગમતી.પણ કહેવું કોને...?? તેમ તે વિચારતો હતો વળી નમ્રતાની ઇચ્છા પણ જાણવી જરૂરી હતી. તે કઇ રીતે જાણવી એમ વિચાર્યા કરતો હતો. એટલામાં ફાઇનલ ઇયરનું રિઝલ્ટ લેવા શહેરમાં જ્યાં તે ભણતો ત્યાં કોલેજમાં જવાનું થયું. ઘણીવાર બસમાં સાથે આવતા-જતા ...Read More

3

સમર્પણ - 3

સમર્પણ પ્રકરણ-3 આપણે પ્રકરણ-2 માં જોયું કે નમ્રતા બસમાંથી ઉતરીને જતી હતી, અનિષે બૂમ પણ પાડી કે, નમ્રતા, સાંભળ તો ખરી...!! પણ નમ્રતા દોડી ગઈ અને જતાં જતાં બોલતી ગઈ કે, તારે મારી સાથે મેરેજ કરવા હોય તો, મારા ઘરે જલ્દીથી માંગું મોકલાવજે...પછી કહેતો નહિ કે રહી ગયો... અને નમ્રતા શરમાઈને દોડી ગઈ...હવે આગળ.... અનિષ ઘરે જતાં જતાં રસ્તામાં વિચારવા લાગ્યો કે નમ્રતાના ઘરે માંગું મૂકાવવા માટે પોતાના ઘરે કઈ રીતે પિતાજી સુધી વાત પહોંચાડવી. વળી તેના મનમાં પ્રશ્ન થયો કે પિતાજી અને ઘરના બધા નમ્રતા સાથે મારા મેરેજ કરી આપવા માટે તૈયાર તો થશેને..?? ...Read More

4

સમર્પણ - 4

સમર્પણ પ્રકરણ-4 આપણે પ્રકરણ-3 માં જોયું કે અનિષે પોતાના મનની વાત મોટીભાભી નિલમને કરી અને મોટાભાઈને કહી સુધી વાત પહોંચાડવા જણાવ્યું કે તેને નમ્રતા ખૂબ ગમે છે અને તે નમ્રતા સાથે મેરેજ કરવા ઈચ્છે છે. હવે આગળ.... નિલમને ખુશ જોઈને અનિકેતે તેને ખુશીનું કારણ પૂછ્યું એટલે નિલમે અનિકેતને વાત કરતાં કહ્યું કે, આપણાં અનિષભાઈને પેલા પરાગભાઈ દીકરી નમ્રતા છે ને એ ખૂબ ગમે છે અને તે તેની સાથે જ મેરેજ કરવા ઈચ્છે છે તો બાપુજીને કહીને નમ્રતાને ઘરે માંગું મોકલવાનું છે...!! અનિકેત: અચ્છા તો એમ વાત છે... ભાઈને નમ્રતા સાથે પ્રેમ થઈ ગયો છે...એમ જ ...Read More

5

સમર્પણ - 5

સમર્પણ પ્રકરણ-5 આપણે પ્રકરણ-4 માં જોયું કે મગનકાકા અનિષનું માંગું નમ્રતા માટે લઈને પરાગભાઈના ઘરે ગયા હતા આટલા બધા મોટા ઘરેથી માંગું આવ્યું એટલે પરાગભાઈ વિચાર કરતાં હતાં કે મોટા ઘરે દીકરી પરણાવવા માટે કરિયાવર પણ વધારે જ કરવો પડે અને તેમની એટલી બધી પરિસ્થિતિ હતી નહિ તેથી તેમણે, હું વિચારીને જવાબ આપું એમ મગનકાકાને કહ્યું હતું. હવે આગળ.... નમ્રતા અને અનિષ બંને હવે મોટા થઈ ગયા હતા બંને સાથે જ રમતાં અને સાથે જ ભણતાં તેથી એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. શૈશવના સ્મરણોની સાથે સાથે બંને હવે યુવાનીના સ્વપ્નો જોવા લાગ્યા હતા અને ...Read More

6

સમર્પણ - 6

" સમર્પણ " પ્રકરણ-6 આપણે પ્રકરણ-5 માં જોયું કે પરાગભાઈએ જીવરામશેઠને ઘરે પોતાની દીકરી પરણાવવાની " ના " પાડી કારણ કે તે એવું માનતા હતા કે પૈસાવાળાને ઘરે દીકરી પરણાવીને કરિયાવર પણ એટલો જ કરવો પડે માટે તેમનું મન પાછું પડતુ હતુ. હવે આગળ.... મગનકાકાનો જવાબ સાંભળીને ઈલાબેન તેમજ જીવરામ શેઠ બંને વિચારમાં પડી ગયા હતા. અને જીવરામશેઠ તો બોલ્યા પણ ખરા કે, " આપણે ક્યાં કંઈ કરિયાવર કે દહેજ કશું જોઈએ છે..?? " ઈલાબેને પણ જીવરામ શેઠની આ વાતમાં હાજીઓ પૂરાવ્યો. પણ હવે પરાગભાઈને કોણ સમજાવે...?? તે પ્રશ્ન હતો. અનિષ બહારથી આવ્યો એટલે તેને પણ આ સમાચાર મળ્યા. ...Read More

7

સમર્પણ - 7

" સમર્પણ " પ્રકરણ-7 આપણે પ્રકરણ-6 માં જોયું કે નિલમ અને નીમા પરાગભાઈને ઘરે આવ્યા અને પરાગભાઈ તેમજ રૂપાબેનને કે અમારે ખાલી કંકુ અને કન્યા જ જોઈએ છે માટે તમે કરિયાવરની જરા પણ ચિંતા કરશો નહિ. આ વાત સાંભળીને પરાગભાઈ અને રૂપાબેને નમ્રતાના સગપણ માટે " હા " પાડી દીધી અને આખુંય વાતાવરણ જાણે ખુશીથી મહેંકી ઉઠયું હવે આગળ.... નિલમે અને નીમાએ ઘરે આવીને આ સમાચાર આપ્યા એટલે જીવરામશેઠના ઘરમાં પણ ખુશીનું વાતાવરણ છવાઈ ગયું અને અનિષ તો જાણે ખુશીથી પાગલ થઈ ગયો હતો. જીવરામશેઠે ઘરમાં બધાને લગ્નની તૈયારી કરવા માટે પણ કહી દીધું. હવે અનિષને તો બસ નમ્રતાને ...Read More

8

સમર્પણ - 8

" સમર્પણ " પ્રકરણ-8 આપણે પ્રકરણ-7 માં જોયું કે નિલમે અને નીમાએ પરાગભાઈ તેમજ રૂપાબેનને સમજાવ્યા કે અમને તમારી નમ્રતા ખૂબ ગમે છે અને અમારે ખાલી કંકુ અને કન્યા જ જોઈએ છે માટે તમે કરિયાવરની જરા પણ ચિંતા કરશો નહિ એટલે પરાગભાઈએ નમ્રતાના સગપણ માટે " હા " પાડી દીધી હવે આગળ... અનિષ આજે ખૂબજ ખુશ હતો તેણે ઘરે આવીને પોતાની લાડકી ભાભીને વિનંતિ કરી કે મારું નમ્રતા સાથે જલ્દીથી સગપણ કરી આપો. નિલમ સમજી ગઈ હતી કે દિયરજી દેરાણીને મળીને આવ્યા લાગે છે એટલે તેણે મજાક કરી કે, " નમ્રતાને ઉતાવળ છે કે તમને...?? અને તમે મળીને આવ્યા ...Read More

9

સમર્પણ - 9

" સમર્પણ " પ્રકરણ-9 આપણે પ્રકરણ-8 માં જોયું કે અનિષના કાકાનો દિકરો સંજય અવાર-નવાર અનિષના ઘરે આવતો અને નમ્રતા સંજય સારા એવા મિત્ર પણ હતા એટલે નમ્રતા અનિષની ગેરહાજરીમાં સંજય સાથે હસી-મજાક પણ કરી લેતી જે તેની જેઠાણી નીમાને બિલકુલ ખમાતુ નહિ એટલે તેણે બંનેની ખોટી વાત પણ ઉડાડી હતી પણ અનિષ પોતાની નમ્રતાને સારી રીતે ઓળખતો હતો તેથી તેણે નીમાની વાતને જડમૂળથી વખોડી કાઢી અને ફરીથી કોઈપણ દિવસ પોતાની પત્ની ઉપર કોઈએ આવો આરોપ લગાવવો નહિ કે આવી કોઈ વાત પણ ઉડાડવી નહિ તેમ પણ કહી દીધું. હવે આગળ.... અનિષ પોતાના ધંધામાં ખૂબજ આગળ વધી રહ્યો હતો અને ...Read More

10

સમર્પણ - 10

" સમર્પણ " પ્રકરણ-10 આપણે પ્રકરણ-9 માં જોયું કે જીવરામશેઠના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, નીમા અને નમ્રતાના ભરતની વિધિ સુખરૂપ પૂર્ણ થઇ ચૂકી હતી અને ઘરના દરેક સભ્યએ પ્રભુને પ્રાર્થના કરી કે નીમા અને નમ્રતા બંને એક સુંદર સંતાનને જન્મ આપી માતા બનવાના અધિકારી બને....હવે આગળ... નીમા અને નમ્રતા બંનેના માતા-પિતાની પણ ખુશીનો કોઈ પાર ન હતો, બંનેની માતાઓ પણ આવનાર બાળકની તૈયારીમાં પડી ગઈ હતી. તેમજ નીમા અને નમ્રતા બંને પોતાના આવનાર બાળકની તૈયારીમાં પડી ગયા હતા અને આવનાર બાળકના સપના જોતા હતા. નીમા અને નમ્રતા બંનેને એકજ ડૉક્ટર- ડૉ.અંજનાબેનની દવા ચાલતી હતી. હવે તે દિવસ ...Read More

11

સમર્પણ - 11 - છેલ્લો ભાગ

" સમર્પણ " પ્રકરણ-11 આપણે પ્રકરણ-10 માં જોયું કે નીમાની કૂખે દિકરો તો જન્મ્યો પણ તે મૃત્યુ પામ્યો, આ નમ્રતાને મળતાં નમ્રતાને ખૂબજ દુઃખ થયું અને તે વિચારવા લાગી કે આટલા બધા વર્ષો પછી પણ નીમાભાભીનો ખોળો ખાલી જ રહી ગયો. આ વાતની ખબર જ્યારે નીમાભાભીને થશે ત્યારે તે આ સદમો બરદાસ્ત નહિ કરી શકે અને તેનું શું પરિણામ આવશે તેની કલ્પના કરી શકાય તેમ નથી...!! અને તે જ ક્ષણે તેને વિચાર આવ્યો કે મારી કૂખે બે બાળકો અવતર્યા છે તેમાંથી હું એક બાળક નીમાભાભીના ખોળામાં મૂકી દઉં તો...!! અને તેણે આમ કરવા નિર્ણય પણ કરી લીધો પછી તેણે ...Read More