શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ?

(10)
  • 9.9k
  • 1
  • 3.3k

આ વાત છે એક સાદા સરળ વ્યક્તિની જેનું નામ છે મૃદુલ. યુવાનીની જમીન પર ડગલા માંડતો એ આકાશે ઊચે ઉડવાના સપના સેવતો પોતાના રુમની બારીમાં બેઠો હતો. હમણાં જ તેને દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને દોસ્તો સાથે વેકેશનમાં જવાનાં પ્લાન બનાવતો હતો... એક વર્ષની સખત મહેનત પછી હવે થોડી હળવાશની પળો માણવાની એની અભિલાષા છે તો વ્યાજબીને, ત્યાં અચાનક એના ફોનની રિંગ વાગી અને સપનાની દુનિયામાંથી જાગી જ્યારે મૃદુલે ફોન ઉપાડ્યો તો સામે શેખરનો અવાજ આવ્યો, " ભાઈ કેમ છે? કેવું ચાલે છે તારુ વેકેશન? ક્યાં જવાનો પ્લાન બની રહ્યો છે? "

New Episodes : : Every Wednesday & Friday

1

શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૧

આ વાત છે એક સાદા સરળ વ્યક્તિની જેનું નામ છે મૃદુલ. યુવાનીની જમીન પર ડગલા માંડતો એ આકાશે ઊચે સપના સેવતો પોતાના રુમની બારીમાં બેઠો હતો. હમણાં જ તેને દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને દોસ્તો સાથે વેકેશનમાં જવાનાં પ્લાન બનાવતો હતો... એક વર્ષની સખત મહેનત પછી હવે થોડી હળવાશની પળો માણવાની એની અભિલાષા છે તો વ્યાજબીને, ત્યાં અચાનક એના ફોનની રિંગ વાગી અને સપનાની દુનિયામાંથી જાગી જ્યારે મૃદુલે ફોન ઉપાડ્યો તો સામે શેખરનો અવાજ આવ્યો, " ભાઈ કેમ છે? કેવું ચાલે છે તારુ વેકેશન? ક્યાં જવાનો પ્લાન બની રહ્યો છે? "મૃદુલે જવાબ આપ્યો, " બડી, આ વખતે તો ...Read More

2

શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૨

સંવાદ આજે રવિવાર હતો એટલે ઉમંગભાઈને ઓફિસમાં રજા હતી, આરતીબેને આજે બધાની મનગમતીવાનગીઓ બનાવી હતી, મૃદુલ માટે મેક્સિકન રાઈસ, માટે ખાંડવી અને પોતાનેભાવતી પુરણપોળી પણ બનાવી હતી, રસોઈમાંથી એટલી સરસ મહેક આવતી હતી કે બાજુવાળાપ્રભાદાદી તો આરતીબેનને મેનું પૂછવા પણ આવ્યા હતાં, ત્યારે આરતીબેને પ્રભાદાદીઅને પંકજદાદા માટે બધું થોડું થોડું થાળીમાં ભરીને આપ્યું પણ હતું, આટલું સરસજમણ ડાયનીંગ ટેબલ પર હતું છતાં ખાવાના શોખીન એવા મૃદુલનું ચિત્ત જમવામાં ન હતુંઆ વાત ઉમંગભાઈએ નોટીસ કરી અને મૃદુલની રમુજ કરવા માટે તેને પૂછ્યું “ મૃદુબેટા, જમવાનું બહુ સરસ બન્યું છે ને ? પોતાના વિચારોમાં મગ્ન મૃદુલ પાસેથી જયારે કોઈ જવાબ ન ...Read More

3

શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૩

મુંજવણ : પાત્ર ભજવવું પિતાનું કે મિત્રનું ઉમંગભાઈ મૃદુલ સાથે થયેલી વાતો પર મનોમંથન કરતાં જ હતાં એટલા માં ત્યાંઆરતીબેન બેડરૂમમાં આવે છે, આરતીબેન વિશે કહીએ તો તેઓ ભણેલા ગણેલા, સંસ્કારીકુટુંબના ખુબ જ સમજદાર અને સુઝવાળા હતાં, તેમને બાળમનોવિજ્ઞાનમાં માસ્ટર્સકર્યું હતું અને લગ્ન પહેલાં તેઓ ઘણા માતા-પિતા અને બાળકો વચ્ચેનાં સંબંધોનેસુધારવામાં મદદ પણ કરતાં હતાં, લગ્ન પછી પોતાની પોતાના નવા પરિવાર માટેની નૈતિકજવાબદારી સમજી તેમણે પોતાનો સમય પોતાનાં પરિવાર માટે ફાળવવાનું નક્કી કર્યું,ઉમંગભાઈની ઈચ્છા હતી કે આરતીબેન પોતાનું કામ ચાલુ જ રાખે પણ તેમણે આરતીબેનનાંનિર્ણયને માન આપી તેમનો સાથ આપ્યો હતો. હવે જયારે આરતીબેન રૂમમાં આવ્યા ત્યારે ઉમંગભાઈએ તેમને ...Read More

4

શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૪

મળી ગોવા જવાની પરવાનગી , પણ ..... ઉમંગભાઈ મૃદુલ અને આરતીબેન સાથે થયેલી વાતોનું તારણ કાઢવા અને નિર્ણય લેવા હતાં ત્યારે તેમનાં મનમાં મૃદુલ અને આરતીબેન સાથે થયેલી વાતચીતનાં શબ્દોવમળે ચડયા હતાં. “તેને માતા-પિતાના સાથ સાથે સાથે એક મિત્રની પણ જરૂર પડશે અને તારાથી સારો અનેસમજદાર મિત્ર બીજો તેને ક્યાં મળશે ?” “આય લવ યુ પપ્પા ,તમારા જેવા લવિંગ અને કેરીંગ પપ્પા મળ્યા એટલે હું બહુ લકીછું, હંમેશા તમે મને એક ફ્રેન્ડની જેમ સમજી શકો છો” “શેખરનાં ઉછેર કરતાં મને આપણા ઉછેર અને મૃદુ પર વધારે ભરોસો છે અને જીવનનાંકોઈ પણ મોડ પર તેને આપણી જરૂર પડી તો આપણે ...Read More