અનુભૂતિ

(6)
  • 8.8k
  • 0
  • 3.6k

નવા શાયરો, કવિ ના શેર ની અનુભૂતિ   કોઈ વાત કરે તો મને થોડું સારું લાગે, મતલબી દુનિયામાં મને કોઈ મારું લાગે.   પ્રેમ બેવફા હોઈ શકે, લાગણીઓ નહીં. કવિ પિંકલ પરમાર સખી   પ્રેમ બે હેયા ની લાગણીઓ ની અનુભૂતિ છે. બે આત્માઓનું મિલન છે. પ્રેમમાં દરેક ઈંદ્રિયો માં અજબ ની સ્ફૂર્તિ આવી જાય છે. બધું જ અદ્દભુત અને દિવ્ય ભાસે છે. ઘણીવાર જાણે અજાણે એક વ્યકિત દ્વારા બેવફાઈ થઈ જાય છે. વાંક ગુનો કોઈનો નથી હોતો. નસીબ યારી નથી આપતું. લાગણીઓ ને કોઈ રોકી શકતું નથી એ તો જે વ્યક્તિ માટે હોય છે તેના માટે આજીવન વહેતી રહે

1

અનુભૂતિ - 1

નવા શાયરો, કવિ ના શેર ની અનુભૂતિ કોઈ વાત કરે તો મને થોડું સારું લાગે, મતલબી દુનિયામાં મને મારું લાગે. પ્રેમ બેવફા હોઈ શકે, લાગણીઓ નહીં. કવિ પિંકલ પરમાર સખી પ્રેમ બે હેયા ની લાગણીઓ ની અનુભૂતિ છે. બે આત્માઓનું મિલન છે. પ્રેમમાં દરેક ઈંદ્રિયો માં અજબ ની સ્ફૂર્તિ આવી જાય છે. બધું જ અદ્દભુત અને દિવ્ય ભાસે છે. ઘણીવાર જાણે અજાણે એક વ્યકિત દ્વારા બેવફાઈ થઈ જાય છે. વાંક ગુનો કોઈનો નથી હોતો. નસીબ યારી નથી આપતું. લાગણીઓ ને કોઈ રોકી શકતું નથી એ તો જે વ્યક્તિ માટે હોય છે તેના માટે આજીવન વહેતી રહે ...Read More

2

અનુભૂતિ - 2

કહીએ એટલું સરળ નથી આ જીવનડરીને બેસી જવાય એટલુંય અઘરું નથીમહેન્દ્ર શર્મા જીવનની આંટીઘૂંટી તો સમજાય એવી નથી. તે સીધું, સરળ અને ક્યારે જટિલ, મુશ્કેલી વાળું અને ખૂબ જ અઘરું છે. જીવન ને તમે કેવી રીતે લો છો તે મહત્ત્વનું છે. જીવન માં આવતાં દરેક પડકારો સકારત્મક્તા અભિગમ થી સ્વીકારો તો સરળ છે. પરિસ્થિતિ નો સામનો હકારાત્મક વલણ થી અને જોશ હિમ્મત સાથે કરવાથી જિંદગી ના દિવસો આસાન બની જાય છે. દરેક સંજોગો માં દિવસો પસાર કરવાના છે સુખ હોય કે દુઃખ. ખુશ રહી ને દુઃખ ના પહાડો નો સામનો કરવો જોઈએ. ગમે તેવું સુખ કે દુઃખ તે ...Read More

3

અનુભૂતિ - 3

તાર ની જેમ એક માણસ પણ,તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો.ભરત વિંઝુડા કોઈપણ ચીજ વસ્તુ, માણસ, સંજોગો અને તૂટતાં પહેલાં તંગ થાય છે. તૂટવાની પ્રક્રિયા ઘણીવાર તુરંત અને જલ્દી પણ હોય છે. કાચ તૂટે કે તરત જ તૂટી જાય છે અને ફરી ક્યારેય તેના મૂળ રૂપ જેમ સંધાતો નથી. તાર તમે ખેંચ્યા જ કરો તેની મર્યાદા ની બહાર જતા તૂટી જાય છે. સંબંધો નું પણ એવું છે લાગણી, પ્રેમ, મમતા, ભાવના અને પરસ્પર સમજદારી ન હોય તો તૂટી જાય છે. આ શેર મને એટલે ગમે છે કારણકે કવિ એ બહુ જ ટૂંકાણમાં બહુ મોટી વાત કહી દીધી છે. ...Read More

4

અનુભૂતિ - 4

કંઈ કેટલાંય વર્ષોથી ડાયરીમાં છુપાવેલું એક ગુલાબ આજ ફરી છાનું છાનું મારી ભીતર મહેક્યું ! ~ ખ્યાતિ શાહ યાદગીરી રૂપે સાચવી રાખેલ ગુલાબ કે કોઈ પણ પ્રકારની વસ્તુ જ્યારે નજર સામે આવે છે ત્યારે દિલ ના કોઈ ખૂણા ફરી એ યાદો તાજી થઈ જાય છે અને ફરી એ ક્ષણ જીવી લઈએ છીએ. અને હૈયું ખુશી થી ઝુમી ઊઠે છે. પ્યારી અને ગમતી વ્યક્તિ આપેલ ભેટ એ ક્યાંક છુપાયેલી રાખવી જોઈએ અને જિંદગી ના આખરી પડાવ માં આ યાદગીરી જીવન જીવવા માટે આધાર બની જાય છે. કવિ એ ડાયરી માં છુપાયેલા ગુલાબ વિશે વાત કરી છે એ ડાયરી જ્યારે ...Read More

5

અનુભૂતિ - 5

૫. ક્યાં કદી કોઈ કદર થઈ આપણી?તોય પ્રગટાવીને રાખી તાપણી. આ તરફ કાચું ગણિત મારું જરા,ત્યાં સદા કરતા રહ્યા માપણી.~સાકેત દવે... ��� કદર કરવી અને થવી એ બહુ મોટી વાત છે કોઈની કદર કરવા માટે વિશાળ દિલ જોઈએ અને મન મોટું જોઈએ. કદર કરનાર વ્યક્તિ જ જુદા હોય છે. આખે આખું જીવન પણ કોઈના પર સમર્પિત કરી દઈએ કે ન્યોચ્છાવર કરી દઈએ કોઈને તસું ભર પણ ફરક પડતો નથી અને તેની નોંધ પણ નથી લેતા કે સામે વાળી વ્યકિત પોતાનું તન મન અને ધન ખરચી નાખ્યું છે અને ધણી વાર દરકાર સુધ્ધાં નથી અને સહજતાથી આખી વાત લઈ ...Read More