ભારત વર્ષ કથા મહાભારત ની મહત્વ કાંક્ષા અને પ્રેમના બે પાસા વચ્ચેની
મહાભારત કથા માના કડવા તથ્યો - ભાગ 1
ભારત વર્ષ કથા મહાભારત ની મહત્વ કાંક્ષા અને પ્રેમના બે પાસા વચ્ચેની ભારતવર્ષના નામનો પાયો જેમના નામ પરથી નખાયો તે ચક્રવર્તી સમ્રાટ ભરતની ગાથા અત્યંત પ્રેરણાદાયી છે. ૧. મહાન વંશ અને જન્મ રાજા ભરત એ હસ્તિનાપુરના રાજા દુષ્યંત અને માતા શકુંતલાના પુત્ર હતા. તેમનો જન્મ કણ્વ ઋષિના આશ્રમમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ 'સર્વદમન' હતું, કારણ કે તેઓ જંગલના હિંસક પ્રાણીઓ સાથે રમત રમતા અને સિંહના મોઢા ખોલીને તેમના દાંત ગણતા હતા! ૨. 'ભરત' નામનું રહસ્ય જ્યારે રાજા દુષ્યંતે તેમને સ્વીકાર્યા, ત્યારે આકાશવાણી થઈ હતી કે આ બાળકનું ભરણ-પોષણ કરો. ભરણ' (રક્ષણ પાલન) કરવાને કારણે તેમનું નામ ભરત પડ્યું. તેઓ ...Read More
મહાભારત કથા માના કડવા તથ્યો - ભાગ 2
ભારત વર્ષ કથા મહાભારત ની મહત્વ કાંક્ષા અને પ્રેમના બે પાસા વચ્ચેની..ભાગ-૨આગળનું પગથિયું: રાજા પ્રતીપ અને રાજા શંતનુરાજા કુરુ અનેક પેઢીઓ વીતી અને પછી આવ્યા રાજા પ્રતીપ, જેમના પુત્ર હતા શંતનુ. અહીંથી મહાભારતની મુખ્ય કથાના બીજ રોપાયા. શંતનુના સમયમાં એવા કયા નિર્ણયો લેવાયા જેણે ભવિષ્યના યુદ્ધની પૃષ્ઠભૂમિ તૈયાર કરી? ૫. પાંચમું સોપાન: રાજા શંતનુ (પ્રેમ અને વચન વચ્ચેનો સંઘર્ષ) રાજા પ્રતીપના પુત્ર શંતનુ જ્યારે હસ્તિનાપુરની ગાદી પર બેઠા, ત્યારે રાજ્ય સમૃદ્ધ હતું. પરંતુ તેમના જીવનના બે મુખ્ય વળાંકોએ વારસાના સમીકરણો બદલી નાખ્યા. ગંગા સાથેનું મિલન અને દેવવ્રત (ભીષ્મ) નો જન્મ શંતનુએ દેવી ગંગા સાથે લગ્ન કર્યા. શરત મુજબ ગંગાએ ...Read More
મહાભારત કથા માના કડવા તથ્યો - ભાગ 3
ભારત વર્ષ કથા મહાભારત ની મહત્વ કાંક્ષા અને પ્રેમના બે પાસા વચ્ચેનીઅરીસાનું સત્ય આ પ્રક્રિયા 'ધાર્મિક રીતે કાયદેસર' પણ 'માનસિક રીતે અપવિત્ર' બની ગઈ હતી. જ્યારે કોઈ કાર્યમાં હૃદયની પ્રસન્નતા ન હોય અને માત્ર 'જરૂરિયાત' કે 'સ્વાર્થ' હોય, ત્યારે તે ગમે તેટલા ઊંચા સિદ્ધાંતો પર કેમ ન હોય, તે અંતે 'શૂન્ય' તરફ જ દોરી જાય છે. સત્યવતીએ વંશ બચાવ્યો, પણ એ વંશમાં એવા દોષો રહી ગયા (અંધાપો અને અસંતોષ) જેણે આગળ જતાં મહાભારતના યુદ્ધનું મોટું સ્વરૂપ લીધું. એટલે કે, એક ભૂલને સુધારવા માટે કરવામાં આવેલી આ 'અયોગ્ય' પ્રક્રિયાએ બીજી હજાર મુસીબતોને જન્મ આપ્યો. તો કહો શુધ્ધ શું પ્રેમ કે ...Read More