Satya na Prayogo Part-2 - Chapter - 1 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-2 - 1

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આત્મકથા

ભાગ ૨જો

૧. રાયચંદભાઈ

છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઇના બારામાં દરિયો તીખો હતો . જૂન-જુલાઇમાં

હિંદી મહાસાગરને વિશે એ નવાઇની વાત ન ગણાય. દરિયો એડનથી જ તેવો હતો. એકલો હું મજા કરતો હતો. તોફાન જોવા ડેક ઉપર રહેતો. ભીંજાતો પણ ખરો. સવારના ખાણા વખતે ઉતારુઓમાં અમે એકબે જ હોઇએ. અમારે ઓટની ઘેંસ રકાબી ખોળામાં મૂકીને ખાવી પડતી, નહીં તો ઘેંસ જ ખોળમાં પડે એવી સ્થિતિ હતી!

આ બહારનું તોફાનન મારે મન તો અંતરના તોફાનના ચિહ્‌નરૂપ હતું. પણ બહારના તોફાન છતાં જેમ હું શાંત રહી શક્યો તેમ અંતરના તોફાન વિશે પણ કહી શકાય

એમ લાગે છે. ન્યાયનો પ્રશ્ન તો હતો જ. ધંધાની ચિંતાને વિશે લખી ચૂક્યો છું. વળી હું સુધારક હ્યો એટલે મનમાં કેટલાક સુધારા કલ્પી રાખ્યા હતા તેની પણ ફિકર હતી. બીજી

અણધારી ઉત્પન્ન થઇ.

માનાં દર્શમ કરવા હું અધીરો થઇ રહ્યો હતો. અમે ગોદીમાં પહોંચ્યા તેયારે મારા વડીલ ભાઇ હાજર જ હતા. તેમણે દાક્તર મહેતાની અને તેમના વડીલ ભાઇની ઓળખાણ કરી લીધી હતી. દા. મહેતાનો આગ્રહ મને પોતાને ત્યાં જ ઉતારવાનો હતો, એટલે મને ત્યાં જ લઇ ગયા. આમ જે સંબંધ વિલાયતમાં થયો તે દેશમાં કાયમ રહ્યો ને વધારે દૃઢ

થયો, તેમ જ બેઉ કૂટુંબમાં પ્રસર્યો.

માતાના સ્વર્ગવાસ વિશે હું કંઇ નહોતો જાણતો. ઘેર પહોંચ્યા પછી તે ખબર મને આપ્યા ને સ્નાન કરાવ્યું. મને આ ખબર વિલાયતમાં જ મળી શકત; પણ આઘાત ઓછો કરવાને ખાતર મુંબઇ પહોંચું ત્યાં લગી ખબર ન જ આપવા એવો નિશ્ચય મોટાભાઇએ કરી

લીધો હતો. મારા દુઃખ ઉપર હું પડદો નાખવા ઇચ્છું છું. પિતાના મૃત્યુથી મને જે આઘાત પહાેંચ્યો હતો તેના કરતાં આ મૃત્યુના ખબરથી મને બહુ વધારે પહોંચ્યો. મારી ઘણી ધારેલી

મુરાદો બરબાદ ગઇ. પણ મને સ્મરણ છે કે હું આ મરણના સમાચાર સાંભળી પોકે પોકે નહોતો રોયો. આંસુને લગભગ ખાળી શક્યો હતો. ને જાણે માતાનું મૃત્યુ થયું જ નથી એમ

વ્યવહાર શરૂ કર્યો.

દાકતર મહેતાએ જે ઓળખાણ તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન જ

ચાલે. તેમના ભાઇ રેવાશંકર જગજીવનના સાથે તો જન્મની ગાંઠ બંધાઇ. પણ હું જેમની વાત કરવા ઇચ્છું છું તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. દાકતરના મોટાભાઇના તે જમાઇ હતા ને રેવાશંકર જગજીવનની પેઢીના ભાગીદાર ને કર્તાહર્તા હતા. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરના નહોતી છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એ તો હું પહેલી જ

મલાકાતે જોઇ શક્યો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જોવા દા.

મહેતાએ મને સૂચવ્યું. મેં મારા ભાષાજ્ઞાનનો ભંડોળ ખાલી કર્યો ને કવિએ મેં કહેલા શબ્દો જે નિયમમાં કહ્યા હતા તે જ નિયમમાં કહી સંભળાવ્યા! આ શક્તિની મને અદેખાઇ થઇ

પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ઘ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ

મેં પાછળથી જોયુંઃ

હસતાં રમતાં પ્રગટ હરી દેખું રે,

મારું જીવ્યું સફળ તવ લેખું રે,

મુકતાનંદનો નાથ વિહારી રે,

ઓધા જીવનદોરી અમારી રે,

એ મુકતાનંદનું વચન તેમને મોઢે તો હતું જ, પણ તે તેમના હ્ય્દયમાંયે અંકિત હતું.

પોતે હજારોના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમનો વિષય-તેમનો પુરુષાર્થ તો આત્મઓળખ - હરિદર્શ-હતો.

પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઇ ને કોઇ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઇ કે ધર્મપુસ્તક ઊઘડે. તેમના લેખોનો જે સંગ્રહ

પ્રગટ થયો છે તેમાંનો ઘણો ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઇને તુરત આત્મજ્ઞાનથી ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ઘ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં

પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને સ્વાર્થ નહોતો. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારિસ્ટર હતો. પણ જયારે હું તેમની દુકાને પહોંચું ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે.

આ વેળા જોકે મેં મારી દિશા જોઇ નહોતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ

ન કહી શકાય, છતાં રાયચંદભાઇની ધર્મવાર્તામાં મને રસ આવતો. ઘણા ધર્માચાર્યોના

પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું, દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઇએ પાડી તે બીજા કોઇ નથી પાડી શકયા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઊતરી જતાં. તેમની બુુદ્ઘિને વિશે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય

લેતો.

રાયચંદભાઇને વિશે મારો આટલો છતાં, તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હ્ય્દયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે.

હિંદુ ધર્મે ગુરુપદને જે મહત્વ આપ્યું છે તેને હું માનનારો છું. ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાક્ય ઘણે અંશે સાચું છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. ગુરુની શોધમાં જ સફળતા રહેલી છે, કેમ કે શિષ્યની યોગ્યતા પ્રમાણે જ ગુરુ મળે છે. યોગ્યતાપ્રાપ્તિને સારુ સંપૂર્ણ પ્રયત્નનો દરેક સાધકને અધિકાર છે, એ તેનો અર્થ છે. એ

પ્રયત્નનું ફળ ઇશ્વરાધીન છે.

એટલે, જોકે હું રાયચંદભાઇને મારા હ્ય્દયના સ્વામી ન બનાવી શક્યો તોપણ તેમનો આશ્રય મને વખતોવખત કેમ મળ્યો છે તે આપણે હવે પછી જોઇશું. અહીં તો કેટલું કહેવું બસ થશે કે, મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનારા આધુનિક મનુષ્યો ત્રણ છેઃ રાયચંદભાઇએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હ્ય્દયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અનટુ ધિસ લાસ્ટ’ - સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. પણ આ પ્રસંગો તે તે સ્થળે ચર્ચાશે.