વિચારમાળાનાં મોતી

(59)
  • 6k
  • 7
  • 1.4k

માણસને સંતોની સભામાં જઈને પ્રવચન સાંભળવાનો સમય ન હોય તો પણ, નીતિથી ધંધો કરે, પારકી નિંદા ન કરે અને પોતાની બડાઈ ન કરે તો સંતના પ્રવચન જેટલો જ લાભ તેને સાંપડે. જેવા સુવિચારોથી મનને પવિત્ર કરવા આ વિચારમાળાના મણકા જરૂર ફેરવવા જેવા છે. આ પુસ્તકમાં મહાપુરુષો અને વિવિધ ક્ષેત્રના મહાન લોકો અને અનુભવીઓના વિચારોનું સંકલન કર્યું છે. સારા વિચારો વ્યક્તિને ઉર્ધ્વગતિ આપે છે જ્યારે ખરાબ વિચારોથી અધ:પતન થાય છે. સુંદર સુવિચારો આપણા મનને સુંદર બનાવવા સાથે આપણો વ્યવહાર પણ સારો બનાવે છે.