ટ્રાફિકમાં જેમતેમ રીક્ષાઓ ઘુસાવી દેતા રિક્ષાવાળા પર હમેશા આપણે ગુસ્સે થતા હોઈએ છીએ. પણ એમના અંગત જીવનથી કોઈ વાર રૂબરૂ થઈએ ત્યારે ખ્યાલ આવે છે કે એમની એ ઉતાવળનું કારણ શું છે આ વાત છે એવા જ એક રીક્ષાવાળાની જે દારુણ ગરીબીમાં પણ પોતાની ખુદ્દારી છોડતો નથી.