પ્રેરણાનો ધોધ : કેપ્ટન અનુજ નય્યર

(30)
  • 4k
  • 769

પાકિસ્તાન સાથે સૌથી ભિષણ અને એક તરફથી ઇતિહાસમાં ઘટેલું સૌથી મુશ્કેલ યુદ્ધોમાં કારગીલનું યુદ્ધ પોતાની પાછળ ભારતીય સેનાના અવર્ણનીય શોર્યની એવી અનેક કથાઓ મુકીને ગયું છે, જેનું ઋણ કદાચ કોઈ ક્યારેય પણ ચૂકવી નહી શકે. આજથી બરોબર ૧૯ વર્ષ પહેલાં ભારતીય સેનાએ અદ્વિતિય શૌર્ય અને સાહસનો પરિચય આપતા ૬૦ દિવસ લાંબી ચાલેલી આ લડાઈમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પરમાણુ તાકાત હાંસલ કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં કારગિલ યુદ્ધ (ઓપરેશન વિજય) માં શહીદ થયેલાં સૈનિકોની હિંમતનાં ગૌરવપૂર્ણ કિસ્સા આજે સન્માનથી યાદ કરવામાં આવે છે. દેશ માટે, પોતાની મા ભોમકા ના રક્ષણ કાજે પોતાનો જીવ સમર્પીત કરી દેનારા વીરોની ગાથા આજે પણ સમગ્ર દુનિયામાં કહેવા અને સાંભળવામાં આવે છે. કારગીલના આ યુદ્ધમાં પાકિસ્તાનની નાપાક હરકતનો ભારતીય સેનાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે એમના સૈનિક રણક્ષેત્ર છોડીને ભાગી ગયા. આ જીત ભારતને ઘણા બધા બહાદુર સૈનિકોના બલીદાન પછી મળી છે. દેશને સૌથી પહેલું સ્થાન અપાવવા વાળા શહીદોની જેટલી પણ ચર્ચા કરવામાં આવે એટલી ઓછી છે. દેશ માટે જીવ કુરબાન કરી દેતા આ વીર સપૂતોની વીર ગાથાઓ આજે પણ લોકોની છાતી ગર્વથી પહોળી કરી દે છે. એમાંના જ એક વીર સિપાહી હતા શ્રી કેપ્ટન અનુજ નય્યર. જેમણે માત્ર ૨૪ વર્ષની ઉમરમાં જ પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દીધી! કારગીલના યુદ્ધ પછી ઔશ્રીમાન કેપ્ટન અનુજને મહાવીર ચક્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.