ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-22

(126)
  • 5k
  • 8
  • 2.8k

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-22 સરયુનાં રૂમમાં બધાં આવી ગયેલાં ડો.ઇદ્રીશ અને ગુરુબાલકનાથજીની સૂચના મુજબ બધાએ પોતાની જગ્યા લીધી હતી. નીરુબહેન ધીમે ધીમે ખૂબ વ્હાલથી સરયુનાં માથે હાથ ફેરવી રહેલાં સરયુ ધીમે ધીમે આંખ ખોલી રહેલી. એણે આંખ ખોલી અને સામે મંમીને જોતાં જ એ એમને વળગી પડી. મંમી તમે ક્યાં હતાં ? આપણે અહીં ક્યાં છીએ ? મંમી તમે મને છોડીને ક્યાંય ના જતાં મને ડર લાગી રહ્યો છે. નીરુબહેને કહ્યું "અરે દીકરાં હું ક્યાંય નહીં જઊં હું તારી પાસે જ છું. તને શેનો ડર લાગે છે ? તારે કોઇ ડર રાખવાની જરૂર નથી. જો તારાં પાપા પણ