નિજાનંદ - મનસ્વીની ચાહત પ્રસ્તાવના આ મનસ્વીની ચાહત વાર્તા વાંચી રહેલ દરેકે દરેક મનસ્વીઓને અર્પણ કે જેમણે આખી જિંદગી પોતાનું વિચાર્યા વગર નિસ્વાર્થ ભાવથી આખી જિંદગી પરિવાર અને સ્વજનો માટેજ જીવી. પોતાના સપનાઓ સામુ જોયું પણ નહીં અને દરેક સ્થિતિનો દ્રઢતા થી સામનો કરી અનેક પરિવારોને તાર્યા. ***** હાશ...!!! ચાલો, આ દીકરાના લગ્નનો છેલ્લો પ્રસંગ પણ સુખરૂપ પાર પડ્યો...મનસ્વી સોફા ઉપર બેસતા સામેની દીવાલ પર લાગેલા સમીરના આદમ કદના ફોટા સામે જોઇને બોલી ઊઠી... ખૂબ જ થાક હતો...કેટલા બધા દિવસની દોડાદોડી અને એણે એકલે હાથે બધું સુખરૂપ પાર પાડયું એનો સંતોષ એના ચેહરા પર ઝળકી રહ્યો હતો ! હા, પ્રણવ