સંભવામિ યુગે યુગે ભાગ ૨૨

(72)
  • 2.9k
  • 6
  • 1.6k

બીજે દિવસે દરેક ન્યુઝ ચેનલ માં આ વિષે બ્રેકીંગ ન્યુઝ ચાલવા લાગ્યા. પોલીસે બળી આપનાર તાંત્રિક ને શોધવાની કોશિશ કરી પણ તેઓ નાકામ રહ્યા .પોલીસે પકડેલા માણસખાઉ વ્યક્તિ પાસેથી કોઈ માહિતી ન મળી કારણ તે બહેરો અને મૂંગો હતો. આ ઘટના વડોદરા નજીક ના ગામે બની હતી. સમાચાર જોઈને રામેશ્વર ને અંદાજો આવી ગયો કે જટાશંકર વડોદરા ની નજીક ક્યાંક છે તેથી તેણે પોતાના માણસો ને વડોદરા મોકલ્યા પણ પાંચ દિવસ પછી તેઓ ફક્ત એટલી ખબર સાથે આવ્યા કે જટાશંકર અમદાવાદ તરફ ગયો છે. જટાશંકર અમદાવાદ ની એક હોટેલ માં રોકાયો હતો .તેણે રૂમ બોય ને બોલાવ્યો અને કહ્યું