બેવફા - 8

(294)
  • 11.4k
  • 33
  • 6.8k

કોર્ટના હુકમથી લખપતિદાસનો કેસ સી.આઈ.ડી. વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. સી.આઈ.ડી. વિભાગનો ચીફ ઈન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે ઈન્સ્પેક્ટર વામનરાવ સાથે એડવોકેટ સુબોધ જોશી સામે બેઠો હતો. સુબોધ અને વામનરાવ બંને ગાઢ મિત્રો હતા. વામનરાવને કહેવાથી જ એ કિશોરનો કેસ લડ્યો હતો. એક તરફ એણે કિશોરને કોર્ટમાં ગુનેગાર તરીકે રજૂ કર્યો અને બીજી સુબોધ દ્વારા તેને કોર્ટમાંથી છોડાવી લીધો હતો.