નસીબ ના ખેલ... 14

(70)
  • 3.6k
  • 8
  • 1.8k

     ધીરજલાલ પાસે બીજો કોઈ વિકલ્પ અત્યારે તો ન હતો... એટલે એમણે અત્યારે આ સારવાર ચાલુ રાખવાનું જ સારું સમજ્યું....  અને ધરા ને લઈ ને ઘરે આવ્યા... ઇન્જેક્શન ને લીધે ધીમે ધીમે હાથ ના સોજા ઓછા થયા... દુખાવાની દવા ને કારણે ધરા ને થોડી રાહત પણ થઈ.... પણ આ ક્ષણિક રાહત હતી એ ધરા નોહતી જાણતી...   સાંજે ફરી દવાખાને લઈ ગયા ધરા ને... ત્યાં ડૉક્ટરએ કીધું કે જે મજબૂત મન ન હોય એ ધરા સાથે રહે.... બીજા બહાર  બેસો... ત્યારે તો ધીરાજલાલે ધરા પાસે રહેવાનું નક્કી કર્યું...         ધરા ના હાથ નો સોજો થોડો ઓછો થયો હતો