અતીતના પડછાયા - 6

(63)
  • 3.6k
  • 1
  • 2.2k

તે રાત્રીના રાજ કમરા પર રાજ તથા કદમ બેઠા હતા. ડૉ. દેવાંગીને સમજાવીને ઉજ્જવલાની સાથે તેમના કમરામાં સુવડાવી દેવાઈ હતી. લગભગ કલાકના સમય પછી માંડ માંડ દેવાંગી સ્વસ્થ થઈ હતી. ત્યારબાદ કોઈ જ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. કદમ આ ઝંઝટને તારે જ ખતમ કરવી પડશે, નહીંતર મારા ઘરના કોઈનો ભોગ લેવાઈ જશે... ચિંતિત સ્વરે રાજ બોલ્યો. કદમે સિગારેટ સળગાવી પછી બોલ્યો, રાજ મેં મારા સરની પરમિશન લઈ લીધી છે. અહીંના ડી. વાય. એસ. પી. ને મળી પણ આવ્યો છું.