પ્રેમ વાસના - પ્રકરણ - 28

(242)
  • 4.9k
  • 10
  • 3.2k

પ્રકરણ - 28 પ્રેમ વાસના અઘોરીબાબાને સાંભળીને બધાંજ અચરજ પામ્યા. એના બાપનું ઋણ મહારાજશ્રીએ ઉતકારવાનું છે વળી એમનાં અને મહારાજશ્રીનાં ગુરુ ગુરુભાઇ થાય. છેવટે ગંગા તો ભલે ગમે ત્યાં વહે નીકળે છે એક હીમાલયથી જ સદગુણાબ્હેનને પણ નવાઇ લાગી કે વૈભવનાં પિતાનું ઋણ ઉતારવાનું છે ? અઘોરીબાબા બોલે એટલે સત્ય જ હોય અને એમણે કહેલું કે આ વિદ્યુત સિવાયનો બીજો પ્રેતાત્મા પિશાચ તો મનિષાબહેને કારણે આવ્યો છે એટલે શું જતાવવા માંગે છે ? બધાં વિચારમાં પડી ગયાં. સિધ્ધાર્થનાં આવ્યા પછી ફોરેન્સીકવાળાએ બધાં પુરાવા લઇ લીધેલાં પણ સાવચેતી રીતે રૂપે સીલ કરેલાં એ કર્નલની વિનંતીથી ખોલી નાંખ્યા અને અઘોરીબાબાને