સંબંધ નામે અજવાળું - 11

(11)
  • 2.6k
  • 1k

અમૃતા પ્રીતમ. કવિયત્રી, વાર્તાકાર અને નવકથાકાર. આ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભારતની એ પહેલી લેખિકા હતી જેને સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હોય.અમૃતા પ્રીતમ એક એવા સર્જક હતા જે ખરા અર્થમાં દંતકથા જેવું જીવન જીવી ચૂક્યા છે. 100 થી વધારે પુસ્તકો આપનાર આ સર્જકનું સર્જન અને અંગત જીવન અખબારનો મસાલો રહ્યું હતું. એ એવો સમય હતો જ્યારે સ્ત્રી પોતાના સ્વતંત્ર અવાજની કલ્પના પણ કરી શકતી નહોતી અને એવા સમયે એમણે વિચાર વર્તનથી ‘બોલ્ડ’ જીવી બતાવ્યું હતું. ભાગ્યે જ એવા સર્જકો હોય છે કે જેમનું લખાણ અને જીવન બંને એકસરખું હોય. અમૃતા જીવનપર્યંત જેવું જીવી ગયા એવું લખી ગયા અને જેવું લખી ગયા એવું જ જીવી ગયા.