સંબંધ નામે અજવાળું - 15

  • 3k
  • 1
  • 1k

ગિરનાર સાથે સીધો સંબંધ એ છે કે મારા જન્મનું કારણ ગિરનાર છે. બા કહેતી કે એ સાસરિયે આવી એ પછીના પાંચ વરસેય સંતાન નહોતું થતું ત્યારે પાણિયારે દીવો કરીને સાડીના પાલવનો ખોળો બનાવી એણે માનતા માનેલી, ‘ હે ગિરનાર, હે દત્તબાવા, મને સંતાન દે. સંતાન થશે તો એને હું તારી ટુંક સુધી તારા ધુણાએ પહોંચાડીશ.’ એ પછી મારો જન્મ. મારી બા જ્યારે બાર વર્ષની હતી ત્યારથી એને ગિરનારનો વિશિષ્ટ લગાવ.