સંબંધ નામે અજવાળું - 22

  • 3.1k
  • 1
  • 849

તાજેતરમાં ટીવી પર એક રીયાલીટી શોમાં શાહરૂખ ખાન ગેસ્ટ તરીકે આવેલા. શાહરુખે એક વાત કરી હતી કે, ‘’ હું ત્રણ બાળકોનો નસીબદાર પિતા છું. જીવનમાં એવી બહુ જ ઓછી ક્ષણો આવતી હોય છે જ્યારે તમારા બાળકો તમને કહેતા હોય કે મોમ ડેડ આઈ લવ યુ. જ્યારે પણ એ ક્ષણ આવે ત્યારે એક પેરેન્ટસ તરીકે અમને થાય કે એ મોમેન્ટને જીવી લઈએ કારણ કે બાળકો માબાપ માટે પોતાનો પ્રેમ ક્યારેય એક્સપ્રેસ નથી કરતા. આજે પાછળ ફરીને જીવાયેલી જીંદગીને જોઉં છું તો એવું સમજાય છે કે હું પણ મારા માબાપને ક્યારેય કહી શક્યો નહોતો કે હું તમને કેટલો પ્રેમ કરું છું !’’ આંખ બંધ કરીને ઉંડા શ્વાસ લઈને એકવાર આ વાત પોતાના તરફથી વિચારો તો સમજાશે કે આપણે કોઈ આ વાતમાંથી બાકાત નથી.