યોગ માં આસન અને પ્રાણાયામ

  • 19.1k
  • 2
  • 6k

જેના જીવનમાં યમનિયમ છે, તેઓ જ એક આસાન પર સ્વસ્થતા થી લાંબો સમય બેસી યોગ સાધના કરી શકે છે. જે સત્ય બોલે, અહિંસક સ્વભાવ હોય, ચોરી ના કરે, બ્રહ્મચર્ય નું પાલન કરે, અને જીવન જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ ના કરે , એટલે કે અપરિગ્રહ જેનાં માં છે,એવા વ્યક્તિ ઓ જ આસન સિદ્ધ કરી શકે. જે શૌચ એટલે શરીર અને મન ની પવિત્રતા રાખે, સંતોષી સ્વભાવ, જે ના જીવન માં વ્રત ઉપવાસ છે, જે સ્વાધ્યાયી છે અને ઈશ્વરની શરણાગતિ સ્વીકારી છે, એવો વ્યક્તિ જ આસન સિદ્ધ કરી શકે. એક આસન પર સ્થિર બેસવુ જરૂરી છે. આસન સ્થિરતા આપે છે. શરીર સ્વસ્થ