મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (7)

(18)
  • 5.8k
  • 1
  • 2.6k

સુરેખા હરણ (4) ગટોરગચ્છની વેપારી છાવણીમાં બંધક બનેલા ચારેય જણને માર મારવાનો હુકમ ગટોરગચ્છે આપ્યો એટલે શકુનિએ કહ્યું, "અલ્યા ભાઈ સોદાગર...તું અમારામાંથી એકને છોડ.. તો નગરમાં જઈને તારા રૂપિયાની વ્યવસ્થા કરીએ." "ઠીક છે, તમને છોડું છું...જાવ, સાંજ સુધીમાં રૂપિયા લઈને આવજો નહીંતર આ ત્રણેયને માર પડશે." કહી ગટોરગચ્છે શકુનિને છોડ્યો. શકુનિ દ્વારકાના શ્રોફ પાસે જઈ ઊંચા વ્યાજે રૂપિયા લઈને સાંજે આવ્યો એટલે ગટોરગચ્છે એ નાણાં ગણી લઈ જનાવર છોડી આપ્યાં. તમામ જનાવરોને કૌરવોના ઉતારા પર લાવીને મેદાનમાં બાંધવામાં આવ્યાં. બલભદ્રે ભગવાનને કહ્યું, "જોયું...મારો વેવાઈ કંઈ જેમતેમ નથી." "હા.. હો હવે તમારા વેવાઈ સાચા." કહી ભગવાન હસ્યા. "કેમ હસે છે ? ""ખુશી થઈ...