ખરા અર્થમાં સાચી ઓળખ આ છે!

  • 2.7k
  • 1
  • 758

વાણી એ તમારા ચહેરાનું પ્રતિબિંબ છે.વાણીથી જ તમારા અસ્તિત્વની પહેચાન બનતી હોય છે.હવે મધુર વાણીરૂપ તમારી પહેચાન બનાવી છે કે, કર્કશ વાણીરૂપ એ તમારી ઉપર આધાર હોય છે.માનવી જ્યારે કોઈ પણ જરૂરી વસ્તુ નો બિનજરૂરી વ્યય કરે ત્યારે તેને જરૂર પસ્તાવાનો સમય આવે છે.તે પછી પૈસા હોય કે વાણી.એટલે જ મોટાપુરુષો કહી ગયા છે કે, વાણી વાપરવી એ તો દૂધની પેટે વાપરવી. બોલ્યા બોલ્યા ન કરવું, જરૂર જણાય તથા બીજાને હેત થાય,બીજાને પ્રેમની લાગણી ઉદભવે તેવી મધુરવાણી વાપરવી.જેમ સિક્કાની બે બાજુ હોય છે એમાં વાણીના પણ બે પલ્લુ છે, સારો અને ખરાબ. વાણીથી સર્જન પણ શક્ય છે અને વિનાશ પણ,વાણીથી પ્રેમ