દીકરી રાજબા

(20)
  • 3.1k
  • 1k

રાજબા* રાજબાની ઉમ્મર નવ પૂરા કરી દસમાવર્ષમાં જ પ્રવેશી ને પિતા જોરાવરસિંહ નો શારદામાને હુકમ આવ્યો કે રાજબાના લગન લેવાય ગયા છે.તેઓને મોહાનગરના દરબાર ઠાકોરશા જોડે વિદાય કરવાના છે મહિના પછી. તૈયારી શરુ કરી દો.શારદામાની આંખો ચૂઈ પડી..અરર કૂણી કળીનું શું થશે? રાજબાને ભણવાના કેટલાં ઓરતા! હવે શું થશે? રાજબા એ માના એ બિંદૂઓને પોતાના નાના હાથથી લૂછી કહ્યું,” મા તમે જરાય ચિંતા ન કરો હું જરૂર ભણી લઈશ ,ત્યાં જઈને.”મા જાણતી હતી કે ઠાકુરોને ત્યાં ગયા પછી દીકરીઓ ઠકુરાઈન બની ગયા પછી પડદા પાછળ રહી ફક્ત હુકમ જ સાંભળવાના હોય