અંતિમ વળાંક - 22

(39)
  • 3.6k
  • 2
  • 1.7k

અંતિમ વળાંક પ્રકરણ ૨૨ સ્મૃતિએ જયારે સ્પષ્ટતા કરી કે તે કુંવારી નથી ત્યારે ઇશાન અપસેટ થઇ ગયો હતો. રાત્રે મોડું થયું હોવાથી ઇશાન અને સ્મૃતિ છૂટા પડીને પોતપોતાના રૂમમાં પહોંચી ગયા હતા. રૂમ પર જઈને ઈશાને નાઈટ ડ્રેસ પહેરીને લોખંડના પલંગ પર લંબાવ્યું હતું. સીલીંગ ફેન પણ અવાજ કરતો હતો. સ્મૃતિની વાત સાવ સાચી હતી .. અહીં આશ્રમમાં હોટેલ જેવી ફેસીલીટી નહી મળે. સ્મૃતિ પરણિત છે તે જાણીને ઇશાનની આંખમાંથી ઉંઘ ગાયબ થઇ ગઈ હતી. સ્મૃતિ પરણિત છે તેવું તો પરમાનંદે પણ ક્યાં કહ્યું હતું? જોકે ભૂલ પોતાની જ હતી. તેણે અહીં આવતા પહેલાં પરમાનંદ પાસે સ્મૃતિની જે કાઇ માહિતી