મૌન નું મહત્વ

  • 8.9k
  • 2
  • 4k

आत्मसंस्थम् मन: कृत्वा,न किंचित् अपि चिन्तयेत् !! अ:६ गीता श्लोक २५. ભગવાન શ્રીકૃષ્ણે ભગવત ગીતામાં કહ્યું છે કે મનને આત્મામાં જોડી દે અને બીજું કશું જ ચિંતન કરીશ નહીં તેથી તને સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થશે. પરંતુ આપણે આપણું ચિત્ત કહો કે મન કહો ,તે બધામાં જોડીએ છીએ, પણ કેવી રીતે જોડાઈ જાય છે તેની ખબર, આપણે જાણતા હોવા છતાં ,અજાણ જ રહીએ છીએ . મન નું વિચાર નું સ્વરૂપ ઘણું જ સુક્ષ્મ છે,.તેની જાણકારી કે છણાવટ થવી જોઈએ, તો જ વાત સમજમાં આવે. મન ,પાંચ ઈન્દ્રિયો દ્વારા વિષયોમાં જોડાય છે ,સુખ લેવા માટે પરંતુ સુખ તો મળતું જ નથી