રાજકારણની રાણી - ૧૮

(63)
  • 5.2k
  • 2
  • 3k

રાજકારણની રાણી ૧૮ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર પ્રકરણ-૧૮ જનાર્દન સુજાતા વિશે વિચારતા હતો અને ત્યારે જ રવિનાએ ઓફર માટે ફોન કર્યો એ પરથી લાગ્યું કે નસીબ પોતાની તરફેણમાં હતું. સુજાતાને ત્યાંથી નીકળ્યા પછી જનાર્દનને શંકા થવા લાગી હતી. તેને થયું કે આ પ્રામાણિકતાની દેવી તેની બધી મહેનતનો શિરપાવ માથું પકડીને રડવાનો વારો લાવે એવો તો નહીં આપે ને? તેની વાતો પરથી એવો અર્થ નીકળતો હતો કે તે પોતાનું નહીં પણ પ્રજાનું અને રાજકારણનું ભલું કરવા નીકળી છે. એને ખબર નથી કે આ એવો કિચડ છે જેમાં ભલભલા ફસાઇ ગયા છે. મારી ભલાઇ જો એ ના જોવાની