રાજકારણની રાણી - ૨૪

(63)
  • 4.9k
  • 1
  • 3.1k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪ જનાર્દન માની જ શકતો ન હતો કે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલ દ્વારા ટિકિટની વહેંચણી કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પક્ષની સત્તા છે. પણ કેન્દ્રમાં હજુ સત્તા મળી નથી ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી હતી. જનાર્દનને શંકરલાલનું આયોજન નવાઇ પમાડતું હતું. વિધાનસભાની ચૂંટણીને હજુ છ માસની વાર હતી ત્યારે ચાર તાલુકાના ધારાસભ્યોની ટિકિટ નક્કી કરીને એમને જાણ કરવામાં આવી છે એ ઘટના રાજકારણમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી છે. એક તરફ પાટનગરમાં ધારાસભ્યની ટિકિટ માટે ભાવતાલ થઇ રહ્યા છે અને નામ નક્કી કરવાની કાર્યવાહી થઇ રહી