રાજકારણની રાણી - ૫૨

(55)
  • 5.1k
  • 3
  • 2.5k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૨ જનાર્દનના કપાળ પર ચિંતાની લકીરો ખેંચાઇ હતી. બી.એલ.એસ.પી. આટલી નબળી શરૂઆત કરશે એની તેને કલ્પના ન હતી. એક્ઝિટ પોલ ખોટા પડે એવી આગાહી સુજાતાબેન કરી રહ્યા હતા. સુજાતાબેન નિર્લેપ બનીને સમાચાર જોઇ રહ્યા હતા. એમણે કહ્યું:"જનાર્દન, રુઝાન પરથી અંતિમ પરિણામ આંકી ના શકાય. હજુ તો શરૂઆત છે. અને મારી ધારણા ખોટી પડી શકે છે. હું બીજી બધી બેઠકો વિશે મારો અભિપ્રાય આપી શકું એમ નથી. મેં જે બેઠકો પર પ્રચાર કર્યો છે એના માટે મને વિશ્વાસ છે કે એ બી.એલ.એસ.પી. ના ખાતામાં જ આવશે. આમ પણ આપણી બેઠક બિનહરિફ જાહેર થયા પછી પરિણામની શરૂઆત તો બી.એલ.એસ.પી.થી