વરૂડી માતા

(15)
  • 4.5k
  • 2
  • 1.1k

લેખ:- વરૂડી માતા ધામ, જામનગર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ચાલો આજે જઈએ એક નવી જગ્યાએ. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકામાં ખૂબ જ નાનું એવું ધુળસીયા ગામ આવેલું છે, જ્યાં આઈ શ્રી વરૂડીમાનું દિવ્યમંદિર આવેલું છે. આ મંદિર કાલાવડથી 12 કિલોમીટર અને જામનગરથી 36 કિલોમીટર દૂર આવેલું છે. આઈ વરૂડીમાની પ્રાગટ્ય કથા પણ એક રહસ્યકથા જેવી છે. કચ્છમાં આવેલ ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણે દર વર્ષે પગપાળા હિંગળાજમાતાનાં મંદિરમાં જવાનો નિયમ બનાવ્યો હતો. આ મંદિર સિંધ પ્રાંતમાં એટલે કે આજના પાકિસ્તાનમાં આવેલું છે. ચારણ તેમની કુળદેવી આઈ હિંગળાજ માતાના દર્શને ગયા હતા. તે વખતે એવું કહેવાય