મનની વાત

(13)
  • 2.2k
  • 1
  • 748

જોને જિંદગીમાં ઘણા સબંધો મળ્યા,દોસ્ત! જિંદગીનું સુકાન સાચવતા શીખવે એવા જૂજ મળ્યા.મારી ડાયરીમાં આ પંક્તિઓ મેં લખી અને મારા ફઇબાનો ચહેરો મારી આંખ સામે તરી આવ્યો હતો. મારા ફઇબા મને મારી દરેક ઉલજનને દૂર કરવામાટે મદદરૂપ થતા હતા. એ હંમેશા સાચી અને સચોટ જ સલાહ આપતા હતા. ક્યારેય અધૂરી વાતે સલાહ ન આપતા, પુરી માહિતીની જાણકારી મેળવીને યોગ્ય ન્યાય આપતા હતા. મારા ફઇબા આ આધુનિક યુગના સ્વમાની અને સત્યના પથ પર કોઈનું અહીત ન થાય એ રીતે માર્ગ શોધી ચાલતા હતા. નારી તું નારાયણી કહેવત મને મારા ફઇબા માટે એકદમ બંધ બેસતી લાગતી હતી. મને એવું લાગતું એનું કારણ પણ