ચક્રવ્યુહ... - 36

(62)
  • 4.9k
  • 6
  • 3.1k

પ્રક્રરણ-૩૬ પછીના બે ચાર દિવસ કાશ્મીરા માટે હળવાશભર્યા રહ્યા. સુરેશ ખન્ના પણ આઘાતમાંથી થોડા બહાર આવતા જણાયા અને થોડો થોડો સમય માટે ઓફીસ પણ જવા લાગ્યા, બસ કાશ્મીરાને ચિંતા તેના મમ્મીની હતી. ઇશાનના મૃત્યુ પછી તેની હાલત અત્યંત ખરાબ થઇ રહી હતી અને તેમા સુધારો આવવાને બદલે દિન-પ્રતિદિન તબિયત લથડતી જતી હતી. ઊંઘની તકલિફને કારણે તેનો મગજ પર કન્ટ્રોલ રહેતો નહી અને આરામ માટે તેને ઊંઘની ટેબ્લેટ આપવી પડતી.   “પાપા, આઇ એમ સો હેપ્પી કે તમે રીલેક્સ થઇ ગયા છો. જે થયુ તેનો આઘાત તો આજીવન રહેવાનો જ છે પણ રૂટીન લાઇફ જીવવી એ પણ અત્યંત જરૂરી છે. છેલ્લા