જુગુપ્સા ..અણચાહી હકીકત - 2

(27)
  • 2.5k
  • 1.6k

પ્રકરણ 2 મીરાંની વાત સાંભળી વિકાસ વિચારમાં પડી ગયો એને થયું આમાં ચોક્કસ કોઈક ગેરસમજ છે. જયભાઈ મારાં મોટા ભાઈ છે વળી એ ખુબ ધાર્મિક સ્વભાવનાં અને યોગ શાસ્ત્રનાં નિષ્ણાંત છે તેઓ પોતાની ભત્રીજી સાથે આવું વર્તન કરે ? ના ના એમાં શ્રુતિને કંઈક ...જયભાઈ મને કેટલી મદદ કરે છે કેટલાં પૈસા આપે છે એમનાં માટે કુટુંબ એટલેજ હું અને મીરાં અને શ્રુતિ.  વિકાસનાં મનમાં આ વાત બેસતીજ નહોતી એણે મીરાંને બોલાવી અને કહ્યું “મીરાં ચોક્કસ આમાં કોઈ ગેરસમજ છે જયભાઈ મોટાભાઈ થઈને આવું ગંદું વર્તન કરે ? શા માટે ? એમનામાં આવી ખોટ ના હોય.. એ લગ્ન જ ના