હર ફિકર કો ધૂવે મેં ઉડાતા ચલા ગયા

  • 3.1k
  • 856

હર ફિકર કો ધૂવે મેં ઉડાતા ચલા ગયાખાખરનાં પાને એ... કોતરણી કોણે કરી હશે..... તે શુષ્ક જીવતરને ..‌આકૃતિ કોણે જડી હશે...!!તૂટી ગયેલ પાંદડામાંથી ચળાતો.. કિરણ પુંજ.... તે જીજીવિષા ને ઉપવનમાં કોણે ઢાળી હશે...!! ખાખરાનાં પર્ણમાં રચાતી કોતરણી જેવી મસ્ત રચના નો વૈભવ માન્યો છે..!! જે જીર્ણ થાય છે કે જીવંત થાય છે તેને કળવું પણ અઘરું થઈ પડે... એવું લાગે....!! જે જીવનની જીર્ણતા માં, તકલીફમાં પણ ખડિયામાં પ્રગટાવેલા દિપક ની ભાતી ઝળહળતું રહે , તરવરતુ રહે.... ખોળિયું છોડે નહીં ત્યાં સુધી ખોબે ખોબે ભરી જીવન રસ ને પીતો રહે... તે રસવાઈ દીર્ઘઈ વગરના મૂળાક્ષરની જેમ કોઈપણ તકલીફ નો ભાર પોતાનાં