અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૮)

(14)
  • 1.9k
  • 1.1k

ગતાંકથી.... એટલું કહીને ઋષિકેશ મહેતાએ પોતાને પોલીસના પંજામાંથી કેવી રીતે છોડાવી? અને એમ કરવા માટે તેને કેટલું સાહસ ખેડ્યું હતું ,કેટલી પોતાની કાર્યકર્તા દર્શાવી હતી વગેરે હકીકત પોતાના મધુર અવાજમાં પોતાના સાથીદારો સમક્ષ રજૂ કરી .છેવટે તેમણે કહ્યું : " હું આ યુવક વિશે જેટલું જાણી શકું છું તેટલું બધું આપને કહી બતાવ્યું. હવે તેને આપણા ગ્રુપમાં જોડવો કે નહીં તેનો વિચાર તમારે કરવાનો છે .આ બાબતમાં ટુ નંબર આપણને વિશેષ હકીકત જણાવશે. હવે આગળ.... પ્રથમ ઊભો થયેલો માણસ ફરી ઊઠ્યો. તે સભાનો પ્રમુખ હતો. તેમણે કહ્યું :" મિત્રો ! ટેન નંબરે જે કહ્યું છે તે તદ્દન સાચું છે .એ