કરુણા લેખક : રવીન્દ્રનાથ ટાગોર અનુવાદ : રૂષિલ ડોડીયા
કરુણા - 2
પ્રથમ પરિચ્છેદઅનુપના મૃત્યુ પછી સાર્વભૌમ મહાશયે (પંડિતજીએ) પોતે ગોરપદું કરીને નરેન્દ્ર સાથે કરુણાના વિવાહ કરાવ્યા.મેં જે ધાર્યું હતું તે થયું. નરેન્દ્ર કેવો માણસ છે તેની પાડોશીઓને આટલા દિવસે જાણ થઈ, અને અભાગી કરુણાએ કેટલું કષ્ટ સહન કરવું પડશે તે હવે તેઓ સમજી શક્યા. પણ પંડિતજી આ બેમાંથી એક પણ વાત સમજી શક્યા નહીં.કરુણા આજકાલ માનસિક વ્યથામાં છે. જે બાળકી નિર્જન વનમાં મન મૂકીને રમતી, પક્ષીને હૈયે ચાંપીને તેની સાથે કલાકો સુધી વાતો કરતી, ખોળામાં ઢગલાબંધ ફૂલો રાખીને, પગ ફેલાવીને પોતાની મસ્તીમાં ગણગણાટ કરતા કરતા માળા ગૂંથતી, અને જેને તે પ્રેમ કરે છે તેના ચહેરા સામે જોઈને અસ્પષ્ટ હર્ષમાં મગ્ન ...Read More
કરુણા - 3
બીજો પરિચ્છેદ - મહેન્દ્રમહેન્દ્ર આટલા દિવસો સુધી ઘણો સારો હતો. શાળામાં તેને શિષ્યવૃત્તિ મળી હતી, કોલેજમાં આવ્યો, બી.એ. પાસ મેડિકલ કોલેજમાં ત્રણ-ચાર વર્ષ અભ્યાસ કર્યો; થોડા વધુ દિવસ ભણ્યો હોત તો ડોક્ટર બની ગયો હોત—પરંતુ લગ્ન થયા ત્યારથી તે આવો કેમ થઈ ગયો? તે હવે અમને મળવા આવતો નથી, અમે જઈએ તો સરખી રીતે વાત નથી કરતો—આ લક્ષણો સારાં નથી. અચાનક આવું પરિવર્તન કેમ આવ્યું તેની અમે અંદરખાને તપાસ કરી. મુખ્ય વાત એ હતી કે, કન્યા પક્ષ પાસેથી પૈસા લઈને મહેન્દ્રના પિતાએ જે કન્યા સાથે તેના લગ્ન કરાવ્યા હતા, તે મહેન્દ્રને જરાય પસંદ નહોતી. અને પસંદ ન હોવાનું કારણ ...Read More
કરુણા - 4
આ કરુણા નો ચોથો ભાગ છેઆ પહેલા ત્રણ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે જે તમે privious chapter માં વાંચી : રવીન્દ્રનાથ ટાગોરઅનુવાદ : રૂષિલ ડોડીયાત્રીજો પરિચ્છેદ - મોહિની અને મહેન્દ્રના મનની વાત"આવું ચાલ્યા કરે તો પાર કેમ આવે! મહેન્દ્રનું ઘર છોડી દીધું—વિચાર્યું કે જવા દો, હવે તે તરફ ધ્યાન નહીં આપું. મહેન્દ્ર જ્યારે અમારા ઘરે આવતો ત્યારે હું રસોડામાં જઈને છુપાઈ જતી, પણ આજકાલ મહેન્દ્ર પાછો ઘાટ પર જઈને બેસી રહે છે. કેવી મુસીબતમાં પડી છું, શું તેના કારણે પાણી ભરવા જવાનું પણ બંધ કરવું પડશે? ભલે, કદાચ ઘાટ પર બેસી રહ્યો, પણ આવી રીતે ટગર-ટગર કેમ જોયા કરે ...Read More
કરુણા - 5
ચોથો પરિચ્છેદ - પંડિતજીના બીજા લગ્નપહેલાં રઘુનાથ સાર્વભૌમ મહાશયની એક પાઠશાળા હતી. પણ ધનની તંગીને કારણે થોડા જ સમયમાં બંધ થઈ ગઈ. ગામના સમૃદ્ધ જમીનદાર અનુપકુમારે જે નવી પાઠશાળા સ્થાપી, તેમાં તેઓ ઓછા પગારે ગુરુજીના પદે નિયુક્ત થયા; પરંતુ ગુરુજીના પદ પર આસીન થયા પછી પણ તેમના શાંત સ્વભાવમાં સહેજ પણ ફેરફાર થયો નહીં.પંડિતજી કહેતા કે તેમની ઉંમર માંડ ચાલીસ વર્ષની છે. પણ આ પુરાવા પર જો વિશ્વાસ કરીએ તો સોગંદ ખાઈને કહી શકાય કે તેમની ઉંમર અડતાલીસ વર્ષથી ઓછી નહોતી. સામાન્ય પંડિતો સાથે તેમનો કોઈ બાબતમાં મેળ નહોતો—તેઓ કોઈ બહુ રસિયા કે રંગીલા માણસ નહોતો, કે ન તો ...Read More