જીવન આનંદ ૨૩

(65)
  • 5.5k
  • 9
  • 1.3k

ચિત્રકારે પત્નીને બધી વાત કરી. પત્ની સમજદાર હતી. તેણે હસીને કહ્યું, બસ આટલી જ વાતથી તમે પરેશાન છો લોકોએ ચિત્રમાં નિશાન કર્યા એનો અર્થ એ નથી કે તમારું ચિત્ર સારું નથી. લોકોને આદત જ હોય છે સારા કામોમાં પણ ભૂલ શોધવાની. તમારા ચિત્રમાં જેમણે ભૂલ બતાવી છે તેઓ ભૂલ શોધવાનું જાણે છે, ભૂલને સુધારવાનું નહીં. હવે હું કહું એમ કરો. તમે આવતીકાલે બીજું ચિત્ર ત્યાં રાખો અને તેમાં નીચે લખી દો કે, કૃપા કરીને આ ચિત્રમાંની ભૂલ સુધારશો. ચિત્રકારને પત્નીની વાત યોગ્ય લાગી અને તેણે એમ જ કર્યું. આખો દિવસ બીજું ચિત્ર રાખી સાંજે તે જોવા માટે ગયો ત્યારે એણે......