બાજી - 12

(166)
  • 6.6k
  • 3
  • 3.6k

સારિકાના ખૂન પછી આઈ. જી. સાહેબના આગ્રહથી કેસની તપાસ નાગપાલે પોતાના હાથમાં લીધી હતી. એણે પોતાની તપાસનાં ચક્રો ગતિમાન કરી દીધાં હતા. પરંતુ હજુ સુધી તે કેસમાં એક ડગલુંય આગળ નહોતો વધી શક્યો. અખબારોમાં પણ કેસની તપાસ નાગપાલને સોંપાઈ છે, એવા સમાચાર સાથે ટૂંક સમયમાં જ ગુનેગારોના પકડાઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. અત્યારે પણ નાગપાલ આઈ.જી.સાહેબ પાસે બેઠો હતો.